સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

કાલે ભાવનગરમાં ભગવાન જગન્‍નાથજીની ભવ્‍ય રથયાત્રા : BSF - SRP બંદોબસ્‍ત

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રામાં ભાવિકો ઉમટશે : પોલીસ ટીમો તૈનાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૩૦ : કાલે તા.૧/૭/ નાં રોજ ભાવનગર શહેરમાં અષાઢીબીજ નિમિત્તે ભગવાનશ્રી જગન્નાથજીની પરંપરાગત ૩૭મી રથયાત્રા યોજાનાર છે. જે ભારત દેશની ત્રીજા ક્રમની તેમજ ગુજરાત રાજયની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા છે.ᅠ

પ્રવર્તમાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરીસ્‍થિતિને અનુલક્ષીને ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવનાર છે જેમાંᅠ ASP/DySP-૧૫, PI-૪૦,PSI-૧૩૧,પોલીસ-૧૫૯૭ (૩૩૬ મહીલા સહિત ), SRP-૫ કંપની, BSF-૧ કંપની, હોમગાર્ડ-૧૫૪૨ (૫૦ મહીલાસહિત), વિડીયોગ્રાફર-૩૫, ડ્રોન-૪, નેત્ર કેમેરા-૭૬, ખાનગી કેમેરા-૯૨, ધાબા પોઇન્‍ટ-૫૯, વોચ ટાવર-૧૨, કોમ્‍યુ. પોઇન્‍ટ-૧૦૮, ગ્રુપ+ગામા મોબાઇલ- ૧૧+૨૭ = ૩૮, મસ્‍જીદ પોઇન્‍ટ-૨૭, બેરીકેટ-૪૧, ચેકપોસ્‍ટ-૪, ઘોડેશ્વાર-૩૪, કયુ.આર.ટી. ટીમ- પ, ફુટ પેટ્રોલીંગ-૪,એસ.ડી.એમ.શ્રી-૧, એક્‍ઝીક્‍યુટિવ મેજિસ્‍ટ્રેટશ્રી-૧૨, મેડિકલ ટીમ-૬, ફાયર ફાયટર-૪ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત જાળવવામાં આવનાર છે.ᅠ

ઉપરાંત રથયાત્રા અંતર્ગત કાયદો અને વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવા વિવિધ પ્રકારનાં અટકાયતી પગલા ૧૮૮૭, તડીપાર કેસ-૯, પાસા કેસ-૮, હથિયાર કેસો- ૬ ઉપરાંત નાસતા ફરતા આરોપી ધરપકડ - ૬ જેટલી કરવામાં આવેલ છે. ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ધાર્મિક અને કોમી સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવા હેતુથી આયોજક સમિતિ સાથે-૧૧, શાંતિ સમિતિ બેઠક-૨૧, મહોલ્લા સમિતિ મિટીંગ-૨૫ મળી કુલ-૫૭ જેટલી બેઠકો પણ યોજવામાં આવી છે.

રથયાત્રામાં રથયાત્રા સમિતિનાં ૨૦૦ જયારે પોલીસ મિત્રો-સ્‍વયંસેવકો ૩૦૦ મળી આશરે ૫૦૦ જેટલી સંખ્‍યામાં સેવા આપનાર છે.

ઉપરાંત રથયાત્રા દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવાનાં ભાગરૂપે ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા સોશ્‍યલ મીડિયા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહેલ છે અને લોકોને સોશ્‍યલ મીડિયામાં કોઇ અફવા ન ફેલાવે તે બાબતે જાગૃતિ દાખવવાં અને જો કોઇ આવી બાબત ધ્‍યાને આવે તો તૂર્ત જ સ્‍થાનિક પોલીસને વાકેફ કરવાં પોલીસતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

ભાવનગર શહેરમાં શુક્રવારે નિકળનારી ભગવાન જગન્નાથજીની ૩૭મી રથયાત્રાને લઈને સર્વત્ર ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના બંદોબસ્‍ત માટે પોલીસ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજય ભરમાથી પોલીસ જવાનો બંદોબસ્‍ત માટે આવી પહોંચ્‍યા છે અને આજે સવારે બી.એસ.એફ. તથા એસ.આર. પી. જવાનોની કંપનીઓ પણ ભાવનગર આવી પહોંચી હતી .ᅠ ᅠભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવેણુ પોલીસ છાવણીમાં ફેરવાયુ હોય તેવા દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે.

સમગ્રભારતમાંᅠત્રીજા નંબરનીᅠઅને ગુજરાતમાં બીજા નંબરની ભાવનગર શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા ૧૮ કિલોમીટરના રૂટ પર ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. તેમજ શહેરના સવેદનશીલᅠવિસ્‍તાર ગણાતા ઘોઘાગેટ ચોકથી ક્રેસન્‍ટ સર્કલ સુધી ફૂટ પેટ્રોલિંગ કરી ધાબા પોઈન્‍ટ સહીતᅠના વિસ્‍તાર નુંᅠઉચ્‍ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું.

(10:37 am IST)