ઉપલેટામાં સંતશ્રી વેલનાથબાપુ જન્મજયંતિ નિમિત કાલે ભવ્ય શોભાયાત્રા
(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા)ઉપલેટા,તા. ૩૦ : શ્રી ગુજરાત કોળી રક્ષકદળ તથા ઊપલેટા તાલુકા કોળી સમાજ દ્વારા તા-૧/૭/૨૨ ને શુકવારના ૨ોજ અષાઢી બીજને સંત્તશ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજી કરવામાં આાવેલ છે. આ રથયાત્રા અષાઢી બીજના દિવસે સવારે ૮ કલાકે નાગનાથ ચોકથી શરૂ થઈ ઝીકરીય ચોક,ગાંધીચોક,ભગતસિંહ ચોક, બાપુ બાવલા ચોક,વડલીચોક, બસસ્ટેન્ડ ચોક થઈ વેલનાથબાપુ મંદિરે કાદી વિસ્તારમાં પૂર્ણ થશે આ રથયાત્રા પૂર્ણ થતા પ્રસાદિ નું આયોજન કોળી સમાજમાં રાખેલ છે તો આ શુભ પ્રસંગે આયોજક ધરમદેવ શીહોરા, કિશનભાઈ પાટડિયા, વિજયભાઈ મકવાણા, અશોકભાઈ ચૌહાણ દ્વારા આ શોભાયાત્રામાં ઉપલેટા તાલુકાની ધર્મપ્રેમી જનતાને જોડાવા શ્રી ગુજ૨ાત કોળી રક્ષકદળ તથા ઉપલેટા તાલુકા રકોળી સમાજ દ્વારા અનુરોધ કરવામાં આાવે છે.