News of Saturday, 30th April 2022
મગની દાળ નથી ખાવી કહી ડખ્ખોઃ ગીતાબેનને પુત્રએ પાઇપથી ફટકાર્યા
ચોટીલાના ચોબારીના ઉદાસીન આશ્રમમાં બનાવ
રાજકોટ તા. ૩૦: ચોટીલાના ચોબારી ગામે આવેલા ઉદાસીન આશ્રમ ગોૈશાળામાં કેટલાક વર્ષથી રહેતાં મુળ બોટાદના ગીતાબેન વિરજીભાઇ પરમાર (ઉ.વ.૪૫)ને તેની સાથે જ આશ્રમમાં રહેતાં તેના ૨૫ વર્ષના પુત્ર પંકજે પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના અલ્પેશભાઇએ મોલડી પોલીસને જાણ કરી હતી. ગોૈશાળા આશ્રમના સંચાલક ધરમદાસબાપુએ કહ્યું હતું કે ગીતાબેન અને તેનો પુત્ર પંકજ આશ્રમમાં જ રહી સેવા પુજા કરે છે અને ગીતાબેન રસોઇનું કામ કરે છે. ગઇકાલે મગની દાળ બનાવી હોઇ તેના પુત્ર પંકજે પોતાને દાળ નથી ખાવી તેમ કહેતા બંને વચ્ચે ચડભડ થતાં પુત્રએ હુમલો કર્યો હતો.
(11:39 am IST)