સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th September 2022

માંગરોળમાં મકાનનું તાળુ ખોલી રૂા.૧.૬૦ લાખની ચોરી

ચોરીમાં જાણભેદુ શખ્‍સ હોવાની આશંકા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૯  : માંગરોળ ખાતે બંદર વિસ્‍તારમાં રહેતા એક પરિવારનાં બંધ મકાનનું તાળુ ખોલી તસ્‍કર રૂા.૧.૬૦ લાખની માલમતા ચોરી કરી નાસી જતા ચકચાર મચી ગઇ છે.

માંગરોળ બંદરના એગ્રો પાછળ પંજાબ વિસતારમાં રહેતા પારૂબેન રમેશભાઇ ભાદ્રેચા બહારગામ ગયા હતા.

ત્‍યારે તા.ર૧ થી તા.રરની સવાર સુધીમાં અજાણ્‍યો શખ્‍સે તેના બંધ મકાનના અંદરના રૂમના દરવાજાનું તાળુ ખોલી સ્‍ટીલના ડબ્‍બામાંથી સોનાનો ચેન, સોનાની માળા વગેરે મળી કુલ રૂા.૧.૬૦ લાખની કિંમતની માલમતા ચોરી નાસી ગયો હતો.

આ અંગે ગત સાંજે મહિલાએ ફરિયાદ કરતા માંગરોળ મરીનના પીએસઆઇ એસ.આર. સોલંકીએ આ ચોરીમાં જાણભેદુ છે કે કેમ તે અંગ તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)