મોરબી અને વાંકાનેરમાં અષાઢી બીજની રથયાત્રા-ઈદ નિમિતે શાંતી સમિતિની બેઠક યોજાઈ
કોમી ભાઈચારા સાથે તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી થાય તેવા હેતુથી શાંતિ સમિતિની બેઠક
મોરબી :આગામી તા. ૦૧ ના રોજ અષાઢી બીજના પાવન પર્વે મોરબી ખાતે મચ્છુ માતાજીની રથયાત્રા યોજાતી હોય છે સાથે ઇદનો પર્વ હોવાથી કોમી ભાઈચારા સાથે તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી થાય તેવા હેતુથી મોરબી અને વાંકાનેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલના અધ્યક્ષ સ્થાને આજે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી અષાઢી બીજની રથયાત્રા તેમજ ઇદના તહેવારને ધ્યાને લઈને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી જેમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી
તે ઉપરાંત વાંકાનેર ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે રથયાત્રા અને ઇદના તહેવાર નિમિતે સીટી પોલીસ મથકના ગ્રાઉન્ડમાં શાંતિ સમિતિ બેઠક મળી હતી જેમાં વાંકાનેરના ધારાસભ્ય ઉપરાંત હિંદુ અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બંને પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી.