News of Saturday, 29th January 2022
ધંધુકાના યુવકની હત્યાના વિરોધમાં સોમવારે જસદણ-વિંછીયા બંધઃ આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.ર૯ : ધંધુકાના કિશન ભરવાડની હત્યાના વિરોધમાં સોમવારે જસદણ અને વિંછીયામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.આજે પ્રાંત અધિકારીશ્રીને મૌન રેલી સાથે આવેદનપત્ર જસદણ-વિંછીયા માલધારી સમાજ તથા હિન્દુ સમાજે આપ્યું હતું.જેમા આરોપીને ફાંસીની સજા થાય અને હત્યા કરનારા વિરૂધ્ધ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માંગ કરી છે.
(4:14 pm IST)