સોમનાથથી વેરાવળ જતા રેલ્વે એન્જિન ઉપર પથ્થરમારો
વેરાવળ, તા.૨૯: સોમનાથ રેલ્વે સ્ટેશન થી વેરાવળ જતુ લાઈટ એન્જિન ઉપર બે શખ્સોએ પથ્થરમારો કરતા એન્જિન નો ગ્લાસ તુટી જતા બન્ને સામે ફરીયાદ નોધાવેલ છે. સોમનાથથી વેરાવળ લાઈટ એન્જિન ત્રીભોવનભાઈ મોતીલાલ ચોરસીયા લાઈટ એન્જિન લ ઈ ને જતા હતા ત્યારે બે ઈસમો ઈનદીશ અલ્લારખા પઠાણરાકેશ નાનજીભાઈ પરમાર બન્ને રેલવે ટ્રેક ઉપર સુઈ ગયેલ જેથી ચંદનકુમારે એન્જિન રોકી દીદ્યેલ બન્ને ઈસમો દ્વારા એન્જિન ઉપર પથ્થર મારતા એન્જિન ગ્લાસ તુટી ગયેલ આ બનાવ ૪૨ મીનીટ સુધી એન્જિન પડી રહેલ હતું જેની જાણ આરપીએસ ને કરતા બન્ને પથ્થરમારો કરતા ઈસમો ની અટકાયત કરેલ હતી બન્ને પ્રભાસપાટણ પોલીસમાં સોપી આપેલ હતા.
પોલીસે જણાવેલ હતું કે પથ્થરમારો સેના કારણે કરેલ હતો તેની વિગતો પુછપરછ દરમિયાન બહાર આવશે આ ગંભીરતાને ધ્યાને રાખીને રેલવે પાટા સઘન ચેકીંગ હાથ ધરાયેલ છે.
વેરાવળ મેમણ જમાતના પ્રમુખ ફારૃક સોરઠીયાની વરણી
વેરાવળ મેમણ જમાતની ચુંટણીમાં ત્રીજી વખત ફારૃકભાઈ સોરઠીયાની બહુમતીથી ચુંટાઈને આવેલ છે તેનો આગેવાનો અભિનંદન અપાયેલ હતા.
ભાલકાની સગીરાનું અપહરણ
ભાલકા ગરબી ચોકમાં રહેતા મુળ સેમરીયા વાળા મોલીબેન ભીખાભાઈ ડાભીની પુત્રી ૧૬ વર્ષ ૯ માસ ની કપડા ધોતી હતી તેને વારંવાર બૂમો પાડવા છતા જવાબ ન દેતા તપાસ કરતા ત્યાં મળી આવેલ ન હોય જેથી સગા વ્હાલા ઓ ને ત્યાં પણ તપાસ કરેલ હતી ત્યાં થી કોઈ સમાચાર આવેલ ન હોય જેથી કોઈ પણ અજાણયો શખ્સ અપહરણ કરી લઈ ગયેલ હોય તેવી પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.