રાણાવાવનાં પિડીતાનાં પરિવારને ન્યાય આપવાની માંગ સાથે મંગળવારે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૯ : પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના અલગ અલગ પરિવારોની દીકરી ઓને નરાધમો દ્વારા છોકરી ઓને ભગાડી ગયા હોય અને બંને પરિવારો પોલીસ સ્ટેશનોમાં ધક્કા ખાઈ રહ્યા હોય ત્યાના ભ્.લ્.ત્ દ્વારા ફરિયાદી હોવા છતા આરોપીઓ જેવુ વર્તન કરતા હોય શામા ફરિયાદી ઓને ધમકાવતા હોય અને છેલા ૨૦ થી ૨૫ દીવસ થી ધક્કા ખાતા હોય તેની જાણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડોદરા અને કોંગ્રેસ આગેવાન વિશાલભાઈ બારાઈ,રવિભાઈ વાઘેલા, ચીરાગભાઈ વદર, ગાંગાભાઈ અને ડયર ગામના સરપંચ
બંને પીડિત પરિવારોના ઘરે જઈ ને આશ્વાશન આપી અને કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે અને રહેશે અને આગામી રવિવાર સુધી મા આરોપીઓને ઝડપીને કડક પગલા ભરવા મા નાઈ આવે તો સોમવારે બંને પરિવારો ને સાથે લઈને રાણાવાવ ની બજારોમાં અપીલ કરવામાં આવશે અને પીડિત પરિવારો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા મંગળવારે દુકાનો બંધ રાખીને રાણાવાવ શહેરને બંધ રાખવાનું એલાન કરીને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવશે ત્યારે પીડિત પરિવારના પિતા નાગાજણભાઈ ખૂટી અને ડફેર પરિવાર ના પીડિત પૂત્રી ના પિતા ચનાભાઈ અને બંને પરિવારો રડી પડ્યા હતા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાનોનો આભાર વ્યકત કર્યો હતો ત્યારે જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો કોઈ પણ સંજોગોમાં તમારી લડાઈમાં પૂરતો સહકાર આપશું તેવી ખાત્રી આપી હતી. (૨૫.૮)