ભાવનગરના દંપતિનો તળાવમાં ઝંપલાવીને આપઘાત
બે પુત્રી અને પુત્ર માતા - પિતા વિહોણા થયા : કારણ અંગે તપાસ
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯ : ભાવનગર શહેરના દંપતીએ ખોડીયાર તળાવમાંઙ્ગ ઝંપલાવી સજોડે આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર નજીકના પ્રસિદ્ઘ ખોડીયાર મંદિર પાસે આવેલ ખોડિયાર તળાવમાં એક મહિલા અને યુવાને ઝંપલાવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અને ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની ટીમે અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢયા હતા.
મૃતક ભાવનગર શહેરના વડવાનેરા વિસ્તારમાં રહેતુ કોળી દંપતી હોવાનું ખુલવા પામ્યું છે. પ્રતાપભાઈ ધનજીભાઈ સોલંકી ઉં.વ.૩૫ અને તેના પત્ની ચંદ્રિકાબેન ઊર્ફે ચકુબેન ઉં.વ. ૩૨ ને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. બાઈક પર ભાવનગર થી ખોડીયાર મંદિર નજીક બાઈક પાર્ક કરેલા અને તળાવમાં ઝંપલાવ્યું હતું. આ અંગે સિહોર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.