સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

મોરબી જિલ્લામાં ૧૬ કેસો : ૧૫ દર્દી ડિસ્ચાર્જ

મોરબી તા. ૨૮ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૬ કેસો નોંધાયા છે તો વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૨ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૯ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૩ કેસો શહેરી વિસ્તારમાં જયારે હળવદનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં મળીને કુલ ૧૬ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૬૨૩ થયો છે જેમાં ૧૭૬ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૨૯૪ દર્દીઓ સ્વસ્થ થયા છે

હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર વિરૂધ્ધ કેસ કરાશે : કલેકટર

જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે શુક્રવારે મળેલ બેઠકમાં જિલ્લા કલેકટર જે.બી. પટેલે હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરનાર દર્દીઓ વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એપેન્ડેમીક એકટ હેઠળ કડક હાથે કાર્યવાહી કરવા નિર્દેશો આપ્યા છે.

જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ પણ આ બેઠકમાં મોરબી જિલ્લામાં માસ્ક ન પહેરનાર લોકો વિરુદ્ઘ દંડ વસુલાતની કાર્યવાહી વધુ સઘન બનાવવા સુચના આપી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરનારનોRTPCRરિપોર્ટ આવે ત્યાં સુધી કોવીડ કેર સેન્ટરમાં રાખવા અંગે વિચારણા કરવા પણ નિર્દેશો આપ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ આરોગ્ય લક્ષી કામગીરી વધુ સઘન બનાવવા તેમજ હોસ્પિટલોની સુવિધા અંગે પણ ચર્ચા હાથ ધરી હતી.

(11:50 am IST)