સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

જામજોધપુરમાં ૪૦ હજાર ગુણીની આવક

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ૪૦ હજાર ગુણી મગફળી ગઈકાલે આવતા બમ્પર આવક થઈ હતી. પ્રમુખ દેવાભાઈ પરમારના જણાવ્યા અનુસાર ગઈકાલે છેલ્લા ૨૦ કલાકમાં અંદાજીત ૪૦ હજાર જેટલી મગફળીની ગુણી આવક થવા પામી છે. તેમજ ખેડૂતોને સારો એવો મગફળીનો ભાવ પણ મળી રહેતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(11:47 am IST)