સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

દામનગરવાસી જૈન ઉપાશ્રયે સતી રત્નોના દર્શન કરતા ભાવિકો

દામનગર,તા.૨૭ :  શહેર ના સ્થાનિક વાસી જેન સઘ ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજતા બોટાદ સંપ્રદાય આધ્યાત્મ યોગી પંડીટ રત્ન બા બ્ર પૂ નવીનચંદ્રજી મહારાજ સાહેબ ત્થા વર્તમાન ગચ્છાધિપતિ બા બ્ર પૂ અમીચંદજી મહારાજ સાહેબ ના આજ્ઞાનૃવ્રતી સ્વ તપોધની પૂ ચંપાબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ  બા બ્ર પૂ શ્રદ્ઘાબાઈ મહાસતીજી બા બ્ર પૂ અવનીબાઈ મહાસતીજી બા બ્ર પૂ નિધિબાઈ મહાસતીજી બા બ્ર પૂ વિરિકતાજી મહાસતીજી આદિ ૪ સવંત ૨૦૭૬ના ચાતુર્માસ અર્થે સુખાશાતામાં વાસ કરી રહ્યા છે.

સંક્રમણ થી વ્યાખ્યાન સંપૂર્ણ બંધ છે. ભાવિકો માટે માત્ર દૂર થી દર્શનની છૂટ  હતી.  સતી રત્નની દિવ્યવાણીના ધર્મલાભ થી ભાવિકો વંચિત  સતી રત્નનો ભાવિકોને સંદેશ નિરામય આરોગ્ય માટે સરકારી ગાઈડ લાઇન્સ અને ચૂસના ને અનુચરો દૈનિક એક સદકર્મ કરો ની શીખ આપતા પૂજય મહાસતી રત્ન આપે છે.

(11:41 am IST)