સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, વંથલી અને માણાવદરમાં 4-4 કેસ, કેશોદ, માળીયા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 24 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 12 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, વંથલી અને માણાવદરમાં 4-4 કેસ, કેશોદ, માળીયા અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(8:11 pm IST)