ભાવનગરના તળાજા પાસે કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત :ત્રણ લોકોના મોત
શેત્રુંજી નદીના પુલ પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા : મોતને ભેટેલા લોકો મહુવા તાલુકાના નિપ ગામના રહેવાસી
ભાવનગરના તળાજા પાસે કાર અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. તળાજાથી ભાવનગર હાઈવે ઉપર શેત્રુંજી નદીના પુલ પાસે કાર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
તળાજા થી ભાવનગર હાઇવે ઉપર શેત્રુંજી નદીના પૂલ પાસે કાર અને આઇસર વાહન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા જેમાં એકને ગંભીર ઇજાઓ થતા પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા લોકો મહુવા તાલુકાના નિપ ગામના હોવાનું જાણવા મળ્યુંછે. મૃતકના નામ પૂરીબેન શીવાભાઈ. કૈલાશબેન વિજયભાઈ અને વિજયભાઈ ઉગાભાઈ નામ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
બનાવ અંગે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઊંટી પડ્યા હતા અને 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને મૃતકોને તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી