અમદાવાદ શહેરમાં જે ડીવીઝનના મદદનીશ પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા પ્રદીપસિંહ જાડેજા
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૮: તાજેતરમાં ડીવાયએસપી શ્રીઓની બદલી ગૃહ વિભાગના અધિક સચિવ નિખીલ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ.
જેમા જુનાગઢ ડીવાયએસપી તરીકે પોણાચાર વરસ ફરજ બજાવી પ્રજામાં લોકપ્રિયતા મેળવનાર જાંબાઝ પોલીસ અધિકારી શ્રી પ્રદીપસિંહ જાડેજએ અનેક લોકોને અસામાજીક તત્વોની રંજાડમાથી મુકિત અપાવેલ જેવા કે વ્યાજખોરો, દાદાગીરીથી મકાન પચાવી પાડનાર, માથાભારે તત્વો સામે કડક હાથે કામ લઇ અનેક સીનીયર સીટીઝનોને તેમજ આમ જનતાને મદદરૂપ થનાર ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કરનાર શ્રી જાડેજાની બદલી થતા જુનાગઢની જનતાએ આંચકો અનુભવ્યો હતો. તા. ૧૭ના રોજ તેઓની અમદાવાદ ખાતે બદલી થઇ તે લોકોને જાણ થતા ડીવાયએસપી કચેરી ખાતે તા.રપના રોજ તેઓ છુટા ત્યાં સુધી લોકોએ લાઇન લગાડી ભાવવિભોર બની અને શ્રી જાડેજાને ભાવભીની વિદાય આપી હતી અને સાથે સાથે શુભેચ્છા પણ પાઠવી હતી. શ્રી પી.જી.જાડેજાએ ગઇકાલે અમદાવાદ શહેરમાં પોતાની ફરજ પર હાજર થઇ કામગીરીના શ્રી ગણેશ કર્યા હતા.