જામકંડોરણામાં અષાઢીબીજની ભવ્ય રથયાત્રાનું આયોજન
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૨૮ : સનાતન ધર્મ યુવક મંડળ દ્વારા તા. ૧ને શુક્રવારે અષાઢી બીજની ભગવાન રામદેવજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
આ રથયાત્રા તા. ૧ ના અષાઢી બીજના દિવસે બપોરના ૩ કલાકે રામ મંદિરથી શરૂ થઇ પટેલ ચોક, ડંકીચોક, ભાદરા નાકા, બસ સ્ટેશન, બાલાજી ચોક થઇ પટેલ ચોકમાં પૂર્ણ થશે. આ રથયાત્રામાં ભગવાન રામદેવજીના મુખ્ય રથના પ.પૂ. સંતશ્રી રમેશબાપુ તથા જીજ્ઞેશબાપુ દાણીધારીયા, બિરાજશે આ રથયાત્રાનું ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના હસ્તે પ્રસ્થાન કરવામાં આવશે.
આ પ્રસંગે રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, ચંદુભા ચૌહાણ સહિતના આગેવાનો હાજરી આપશે. રાત્રીના ૧૦:૩૦ કલાકે દિવ્ય પાટોત્સવ અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ રથયાત્રામાં જામકંડોરણા તાલુકાની ધર્મપ્રેમી જનતાને જોડાવા સનાતન ધર્મ યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.