ટીટી.ઓ ફોર્સમાં બોગસ સહિઓ કરી વાહનો વેચી નાખવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
રાજકોટ તા.ર૮ : જામનગરના બહુ ચર્તિત કુલ ર૯ લકઝરીયસ અને કિંમતી ગાડીઓના કૌભાંડ આચરી ટી.ટી.ઓ. ફોર્મમાં ડુપ્લીકેટ સહીઓ કરી બારોબાર વહેચી નાખવાના ગુન્હામાં -પ દિવસના રીમાન્ડ નામંજુર કર્યાબાદ આરોપીને અદાલતે જામીન ઉપર મુકત કરેલ હતો.
ફરીયાદની ટુકમાં વિગત જોવામાં આવે તો અરજદાર અશોકભાઇ ઉર્ફે નોંધાભાઇ કારીયા દ્વારા ફરીયાદી આમદભાઇ ઇશાકભાઇ ખીરા તેમજ અન્ય વ્યકિતઓની ગાડી પવનચકકી તથા રેલ્વેમાં ગાડી ભાડે રાખવાની લાલચ આપી કુલ-ર૯ જેટલી ગાડીઓ પોતાના કબજામાં લઇ ટી.ટી.ઓ. ફોર્મમાં ડુપ્લીકેટ સહીઓ કરી અન્યને વેચાણ તથા ગીરો રાખી અને કાવતરૃ રચી કુલ ર૯ લકઝરીયસ અને કિંમતી ગાડીઓનું કૌભાંડ આચરેલ જે ગુન્હામાં અરજદારની અટક કરવામાં આવેલ અને જેમાં અરજદાર વિરૃધ્ધ આઇ.પી.સી.ની કલમ-૪૦૬, ૪ર૦, ૪૬પ, ૪૬૭, ૪૭૧ અને ૧ર૦ (બી) મુજબની ફરીયાદ આદમભાઇ ખીરાએ નોંધાવેલ હતી.
અરજદારની ધરપકડ થયા બાદ પોલીસ દ્વારા અરજદારના દિન-પ ના રીમાન્ડની વધુ તપાસ માટે માંગણી કરવામાં આવેલ જેમાં અશોકભાઇના વકીલ દ્વારા દલીલો કરવામાં આવેલ અને જે દલીલો ધ્યાને લઇ દિન-પ ના રીમાન્ડ નામંજુર કરેલ અનેદિન-પના રીમાન્ડ નામંજુર થયા બાદ અરજદારે તેના વકીલ મારફત જામનગરની ડીસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ જેમાં અરજદારના વકીલએ દલીલ કરતા જણાવેલ કે અરજદારને ખોટી રીતે સંડોવી દીધેલ છે તેમજ મુદામાલ ગાડીઓ અરજદાર પાસેથી કબજે કરવામાં આવેલ નથી જેવી દલીલો કરી અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના લેન્ડમાર્ક ચુકાદાઓ રજુ રાખેલ અને જે ચુકાદાઓ અને અરજદારના વકીલની દલીલો ધ્યાને લઇ જામનગરના ડીસ્ટ્રીકટ અદાલત દ્વારા અશોકભાઇ ઉર્ફે નોંધાભાઇ કારીયાની જામીન અરજી મંજુર કરેલ હતી.
ઉપરોકત કેસમાં આરોપીવતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ શાહ, ધારાશાસ્ત્રી અશ્વિનભાઇ ગોેસાઇ, ચિત્રાંક એસ.વ્યાસ, નેહાબેન સી.વ્યાસ, જામનગરના યુવા એડવોકેટ અનિલ લાખાણી, નિતીષ કથીરીયા, નિવીદભાઇ પારેખ, રવિભાઇ આર.મુલીયા, કશ્યપભાઇ ઠાકર, બીનાબેન પટેલ, હર્ષિલ શાહ, ભાવિનભાઇ રૃધાણી, ઉર્વીશાબેન યાદ, સાગર વાટલીયા, સચીન ગોસ્વામી, રાજુભાઇ ગોસ્વામી વિગેરે રોકાયોલા હતા.