News of Friday, 28th January 2022
કચ્છના મુન્દ્રામાં પતિ ફરવા ન લઈ જતાં યુવાન પત્નીએ ફિનાઈલ પી જીવ દીધો
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૮ : નાનકડી બાબતમાં થતો કલહ ઘણીવાર દામ્પત્ય જીવનને રોળી નાખે છે. કચ્છના મુન્દ્રામાં ફરવા જવાની બાબતે પતિ પત્ની વચ્ચે થયેલી તકરારમાં પત્નીએ જીવ દીધો હતો.
મુન્દ્રાના શકિતનગરમાં રહેતી ૧૮ વર્ષીય યુવાન પરિણીતા પ્રિયંકા અને અજય ધરમદેવ યાદવ એ બન્ને પતિ પત્નીએ ૨૬ જાન્યુ.ની રજામાં માંડવી દરિયા કિનારે ફરવા જવાનું નક્કી કર્યું હતું. જોકે, કામના કારણે પતિને રજા ન મળતાં ફરવાનું કેન્સલ થયું હતું. જે બાબતે પત્ની અને પતિ વચ્ચે તકરાર થયા બાદ પત્ની પ્રિયંકાએ ફિનાઈલ પી લીધું હતું. પણ સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. મૂળ બિહારનું આ દંપતી નોકરી અર્થે અત્યારે અહી મુન્દ્રા રહે છે.
(11:02 am IST)