સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

ભારતની કુલ એકાવન શકિતપીઠોના દ્વારકા યાત્રાધામમા ભદ્રકાલી માતાજી મંદિરે નવરાત્રી ઉત્‍સવનો પ્રારંભ

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૨૭: ભારતના પમિ છેવાડે દ્વારકા યાત્રાધામમા ભારતની કુલ એકાવન શક્‍તિપીઠો માની માં ભદ્રકાલી માતાજીની શક્‍તિપીઠ દ્વારકા શહેરની મધ્‍યમાં આવેલી છે.

જે આધ્‍યા શંકરાચાર્ય મહારાજ ના કુળદેવી પણ થાય છે વર્ષોની પરંપરા મુજબ માતાજીના નવરાત્રી ઉત્‍સવમાં આ પૌરાણિક મંદિરે દ્વારકાના ગુગલી બ્રાહ્મણ ગોમતી સ્‍નાન કરી અને માતાજીને નવરાત્રિના બેસણા કરવા માટે આમંત્રણ આપે છે નવરાત્રિના તહેવાર દરમિયાન માતાજીના અલ્‍પ્‍ય શણગારો મહા આરતી મહાપૂજાનુ ધમધમાટ થાય છે તારીખ ૨૬ દિનથી ભદ્રકાલી માતાજી મંદિરે નવરાત્રી ઉત્‍સવનો પ્રારંભ થયો છે.

(11:54 am IST)