News of Sunday, 27th September 2020
ભગવાન શ્રીદ્વારકાધીશને દુબે પરિવાર દ્વારા 11 કિલો ચાંદી અર્પણ
શ્રી રામ મુરત દુબે, બદ્રી પ્રસાદ દુબે તથા દુબે પરિવાર દ્વારા ચાંદી અર્પણ કરાઈ
દ્વારકા : ભગવાન શ્રીદ્વારકાધીશને દુબે પરિવાર દ્વારા 11કિલો ચાંદી અર્પણ કરવામાં આવી.છે ભગવાન શ્રીદ્વારકાધીશની આસ્થા દુર દુર સુધી ફેલાયેલી છે.
'તેરા તુજકો અર્પણ' ની ભાવનાથી ભગવાન ની કૃપા પ્રસાદી રૂપે સુખી સંપન્ન લોકો ભગવાન ને અર્પણ કરવા કંઈ ને કંઈ ભેટસોગાદો લઇ ને આવતા હોય છે.
આજે તા.27 સપ્ટેમ્બર 2020 ના દ્વારકાધીશના પરમ ભક્ત શ્રી રામ મુરત દુબે, બદ્રી પ્રસાદ દુબે તથા દુબે પરિવાર દ્વારા શ્રીદ્વારકાધીશ મંદિર દ્વારકા ખાતે ઠાકોરજી ને 11કિલો ચાંદી અર્પણ કરવામાં આવી.
(11:59 pm IST)