News of Tuesday, 27th July 2021
૧૩ લાખના ખર્ચે બનતા વડિયાના પીજીવીસીએલ કચેરી પાસેના રોડ કામગીરીનું નિરીક્ષણ કરતા બાવકુભાઇ ઉંધાડ
(ભીખુભાઇ વોરા દ્વારા)વડિયા,તા. ૨૭: કોરોના સંક્રમણના કારણે રોકાયેલા વિકાસના કામો સંક્રમણ ઘટતા શરૂ થયા છે. વડિયા ગ્રામપંચાયત દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ૧૩ લાખના ખર્ચથી બનતા વડિયાના પીજીવીસીએલ કચેરીથી અમરનગર રોડને જોડતા રસ્તાની હાલ કામગીરી ચાલુ છે ત્યારે પૂર્વ મંત્રી બાવકુભાઇ ઊંધાડ, સરપંચ છગન ઢોલરીયા અને તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર દ્વવારા કામગીરી નું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
(11:50 am IST)