પોરબંદર કોંગ્રેસ દ્વારા પરિવર્તનનો નિર્ધાર
પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ ૮૪ વિધાનસભાની જવાબદારી સોંપવાનું કોંગ્રેસ દ્વારા મન મનાવી લીધું હોય ત્યારે પોરબંદર કિર્તી મંદિર મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવી અને ઓડદર ગામે કુળદેવી માતાને શ્રીફળ વધારીને ચુદડી ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા અને ઓડેદરાના ગુરૂ ગોરખ નાથના મંદિરમાં દળવત પ્રણામ કરી અને ઓડદર ગામથી ચૂંટણી પ્રચાર કરવાનો શુભારંભ કરી ડોર ટુ ડોર લોકોને મળી અને પ્રચાર કરવાનો શુભારંભ કોંગ્રેસ આગેવાન રાજૂભાઇ મોઢવાડીયા મુકેશભાઇ મોઢવાડીયા, રાજવીર મોઢવાડીયા, દીપકભાઇ ઓડેદરા વર્ષાબેન ખૂંટી, આસીસ્ટન્ટ આરતીબેન મોઢવાડીયા, ધર્મપત્ની ઉષાબેન નાથાભાઇ ઓડેદરા, કિશાન મજદૂર સંઘ જિલ્લા પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા તથા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ કર્યો હતો. તે તસ્વીર.