ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સાથે મોરબી સતવારા સમાજના આગેવાનોએ બેઠક કરી
વિધાનસભાની ૧૮ સીટ પર સતવારા સમાજના મતો નિર્ણાયક : કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી માટે ટીકીટ મળે તેવી માંગ .
મોરબી : ગુજરાત વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે ગુજરાતના સતવારા સમાજના વિવિધ સંગઠન આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
મીટીંગમાં સતવારા સમાજ માટે ગુજરાત વિધાનસભાની ૧૮ સીટ પર સતવારા સમાજના મતો નિર્ણાયક હોવાથી સમાજને અન્યાય ના થાય તે માટે કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી માટે ટીકીટ મળે તેવી માંગ કરવામાં આવી હતી જે મીટીંગમાં મોરબીથી ડો. લખમણ કણઝારીયા, બળદેવ નકુમ, મહાકાલ ગ્રુપના પ્રમુખ વસંતલાલ પરમાર તેમજ અન્ય જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જે રજૂઆત સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર દ્વારા પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો હતો જેથી સતવારા સમાજના આગેવાનોએ પ્રમુખ જગદીશ ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો છે.