સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th September 2022

કેશોદમાં રતિદાદા આશ્રમની મુલાકાતે પુ. ભાઇશ્રી

જુનાગઢઃ ગિરનારી સાધક પૂ. રતિદાદાના કેશોદ સ્થિત આશ્રમ જયજગન્નાથ ખાતે ભાગવતાચાર્ય પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા એ પધરામણી કરી હતી તેમનું પરંપરાગત રીતે શાસ્ત્રોકત વિધીથી હિમાંશુભાઇ જોષીએ સ્વાગત કર્યું હતું. પુ. ભાઇશ્રીએ રતિદાદાની સાધના કુટીરમાં બેસી તેમણે ખુબ શ્રધ્ધાભાવથી રતિદાદાની સાધના સ્મરણો વાગોળીયા હતા આ સમયે પુ. રતિદાદાના પુસ્તકો ભાઇશ્રીને ડો. વિશાલ જોષી એ અર્પણ કર્યા હતા અને પુ. ભાઇશ્રીએ દાદાને સ્મરણાંજલિ અર્પી હતી આ તકે સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(12:15 pm IST)