News of Monday, 26th September 2022
કચ્છમાં માતાના મઢમાં ઘટ સ્થાપન સાથે જ આસો નવરાત્રિનો પ્રારંભ
ભુજઃ કચ્છમાં માતાના મઢ મધ્યે આશાપુરા માતાજીના મંદિરે ગત રાત્રે ઘટ સ્થાપન કરાયું હતું. મા આશાપુરા જાગીરના મહંતશ્રી રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટ સ્થાપન વિધિ સંપન્ન થઈ હતી. ઘટ સ્થાપન સાથે જ આસો નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે.(તસ્વીર - અહેવાલ :વિનોદ ગાલા -ભુજ)
(12:13 pm IST)