અમિતભાઇ શનિવારે દ્વારકાધીશના દર્શને : વાઘાણી
વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના સૌરાષ્ટ્રના પ્રવાસને લઇને જડબેસલાક બંદોબસ્ત
રાજકોટ તા. ૨૬ : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ ૨૮ મેના રોજ શનિવારે ગુજરાતની મુલાકાત લેશે અને રાજયના કેટલાક ભાગોમાં જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. ᅠ
જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે અમિતભાઈ ᅠ૨૮ મેના રોજ સવારે દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે અને પછી નજીકની કોસ્ટલ પોલીસ એકેડમીમાં તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
ᅠબાદમાં કેન્દ્રીય મંત્રી ગાંધીનગરમાં સહકારી સંમેલનમાં હાજરી આપશે. ᅠસહકાર મંત્રી શ્રી શાહ રવિવારે પંચામૃત ડેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સભાને સંબોધશે. ᅠમાહિતી અનુસાર, શાહ બાદમાં ખેડા જિલ્લાના નડિયાદ શહેરની મુલાકાત લેશે અને ગુજરાત રાજય પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા રાજયમાં પોલીસ વિભાગ માટે બાંધવામાં આવેલી ૫૭ રહેણાંક અને બિન-રહેણાંક ઇમારતોનું ઉદ્ઘાટન કરશે.
બિનસત્તાવાર અહેવાલો શ્રી અમિતભાઇ શાહ સંભવતઃ તેજ દિવસે જામનગર આવી દ્વારકાધીશના દર્શને પણ જવાના છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
ᅠસાંજે અમિતભાઇ શાહ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટનમાં હાજરી આપશે અને સાંજે મોટેરાના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ નિહાળશે, એમ શ્રી વાઘાણીએ જણાવ્યું હતું. ᅠશ્રી વાઘાણીએ એવી પણ માહિતી આપી હતી કે ગાંધીનગરમાં ૧ અને ૨ જૂનના રોજ યોજાનારી બે દિવસીય રાષ્ટ્રીય શાળા શિક્ષણ પરિષદમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણ પ્રધાનો અને શિક્ષણ સચિવો ભાગ લેશે.