મોટી બાણુગારના વૃધ્ધ અને જામનગરના આઘેડના મોત
જામનગર, તા.૨૬: પંચ એ પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ ઘેલાભાઈ ભેસદડીયા, ઉ.વ.૩૮, રે. સમૃઘ્ધી સોસાયટી, જીનીયમ હાઈટસ ડિ ૩૦ર, આલાપ ગ્રીન સીટી પાછળ, રૈયા રોડ, રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર હાઈવે રોડ મોટી બાણુગર ગામના પાટીયા ફરીયાદી સુરેશભાઈના બાપુજી ઘેલાભાઈ તરશીભાઈ ભેંસદડીયા ઉ.વ.૬પ તથા ફરીયાદી સુરેશભાઈના માતા લાભુબેન ઘેલાભાઈ ભેંસદડીયા ઉ.વ.૬૩ રે. બંન્ને મોટી બાણુગાર, જિ.જામનગરવાળા પોતાનું મોટરસાયકલ હિરો સ્પેલન્ડર જેના રજી.નં.જી.જે.૩૬ કયુ-ર૧૩૭ લઈ વાકીયા ગામેથી મોટી બાણુગર જતા હોય ત્યારે મોટી બાણુગર ના પાટીયા પાસે પહોંચતા પાછળથી આરોપી એક અજાણ્યો ફોર વ્હીલ કાર ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી મોટરસાયકલને હડફેટે લેતા ઘેલાભાઈ તરશીભાઈ ભેસદડીયાને માથામાં તથા શરીરે ગંભીર ઈજા કરી મોત નિપજાવી તથા તેના પત્ની લાભુબેનને શરીેરે ઈજાઓ કરી આરોપી ફોરવ્હીલ ચાલક પોતાનું વાહન લઈ નાશી જઈ ગુનો કરેલ છે.
શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, દલ દેવળીયા ગામથી સડોદર ગામ વચ્ચે આવેલ પવનચકકી વીન્ડ વલ્ડ કંપનીના લોકેશન નં.-ર૦૧૯ ના ટ્રાન્સફોમરના બુશીગ આરોપી રાજાભાઈ મેશુરભાઈ જાદવ, રે. સડોદરવાળાએ તોડી નાખી ટ્રાન્સફોમર બંધ કરાવી અંદાજીત રૂ.ર,૯૧,૦૦૦/- ની નુકશાની કરી ગુનો કરેલ છે.