ભાવનગરના તળાજામાં દોઢ અને ગારીયાધાર માં પોણો ઇંચ વરસાદ : ભાવનગરમા મોડી સાંજે ઠંડો પવન ફૂંકાયો પરંતુ રાતના આઠ વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો ન હતો
ચોમાસા એ વિદાય લીધી હોય તેવું લોકો માની રહ્યા હતા પરંતુ આજે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો
(મેધના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૫ :લાંબા સમયના વિરામ બાદ ભાવનગર જિલ્લાના તળાજા અને ગારીયાધાર પંથકમાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો.
તળાજામાં ધોધમાર દોઢી તેને ગારીયાધારમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.
ગોહિલવાડમા છેલ્લા ઘણા સમયથી મેઘરાજા એ વિરામ લીધો હતો અને ચોમાસા એ વિદાય લીધી હોય તેવું લોકો માની રહ્યા હતા પરંતુ આજે રવિવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જિલ્લાના તળાજા અને ગારીયાધાર પંથકમાં વરસાદ તૂટી પડ્યો હતો.
ભાવનગર જિલ્લાના તળાજામાં 35 મી.મી.અને ગારીયાધાર માં 18 મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં મોડી સાંજે ઠંડો પવન ફૂંકાયો હતો પરંતુ રાતના આઠ વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો ન હતો.
આજે રવિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.7 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 24.2 ડીગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69% અને પવનની ઝડપ 26 કિ.મી .પ્રતિ કલાકની રહેવા પામી હતી.