જુનાગઢમાં બે શખ્સોએ ઘરે આવી માર મારતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસો
ફિનાઇલ ગટગટાવી લેતા સારવારમાં
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨પ : જુનાગઢમાં બે શખ્સોએ ઘરે આવી માર મારતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળેલ છે.
જુનાગઢમાં ભારત મિલના ઢોરા વિસ્તારમાં રહેતા પરિણીતા રૂકશાનાબેન તેમજ તેના પતિ ફિરોજશા કરીમશા રફાઇને છ વર્ષ અગાઉ હુસેનશા વજીરશા રફાઇ અને સમીરશા હાજીશા રફાઇ સાથે મારામારી થઇ હતી અને સામ સામી પોલીસ ફરિયાદ પણ થયેલ. આ બાબતનું મનદુઃખ રાખી હુસેનશા અને સમીરશા મંગળવારે રૂકશાનાબેનનાં ઘરે ચડી આવ્યા હતા અને તેણીને ઢીકા પાટુનો માર મારીને ધમકી આપી હતી.
આબાબતનું લાગી આવતા રૂકશાનાબેનને ફિનાઇલ ગટગટાવીને મરી જવાની કોશિષ કરતાં તેણીને સારવાર માટે ખસેડાઇ હતી.
આ અંગે એ ડીવીઝન પોલીસે ફરિયાદનાં આધારે બંને શખ્સો સામે કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.