સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th May 2022

માતાના હાથે મોત મેળવનારી ૯ માસની માસુમ નિહારીકાના મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

સંયુક્‍ત પરિવારથી જુદા થવાની માથાકુટ કારણભુત

થાનગઢના નવાગામમાં ભાવનાબેન રાજેશ ડાભી (કોળી) (ઉ.૨૩) નામની પરિણીતાએ ગઇકાલે પોતાની ૯ જ મહિનાની ફૂલડા જેવડી દિકરીને દોરીથી ગળાટૂંપો આપી હત્‍યા કર્યા બાદ પોતે પણ નળીયાની આડીમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ભાવનાબેનના મૃતદેહનું થાન ખાતે પોસ્‍ટમોર્ટમ કરાયું હતું. જ્‍યારે માસુમ દિકરી નિહારીકાના મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો છે.

દિકરીની હત્‍યા કરી આત્‍મહત્‍યા કરી લેનારી ભાવનાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. તેણીના માતવર મુળીના દાધોરીયા ગામે રહે છે. પિતાનું નામ વાઘજીભાઇ જેજરીયા છે. ભાવનાબેનનો પતિ રાજેશ દૂધનો ધંધો કરે છે. તે ગઇકાલે દૂધ આપીને ઘરે આવ્‍યો ત્‍યારે દરવાજો બંધ હોઇ તિરાડમાંથી જોતાં પત્‍નિને લટકતી જોતાં દરવાજો તોડયો હતો. ત્‍યારે રાજેશને દિકરી પણ મૃત મળી હતી. રાજેશભાઇના સ્‍વજનોના કહેવા મુજબ સંયુક્‍ત પરિવારમાંથી જુદા થવા મામલે બે ત્રણ દિવસ પહેલા પતિ-પત્‍નિ વચ્‍ચે કલેશ થયો હતો. કદાચ આ કારણે જ ભાવનાબેને હત્‍યા-આત્‍મહત્‍યાનું પગલુ ભર્યાની શક્‍યતા છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. નિહારીકા માતા પિતાની એકની એક દિકરી હતી.

(10:37 am IST)