બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ૧૩૦મો પ્રાગટયોત્સવ ગોંડલ અક્ષરધામમાં ઉજવાશે
ગોંડલ, તા.૨૫: યોગીજી મહારાજે ૪૦ વર્ષ સુધી ગોંડલ અક્ષર મંદિરમાં બિરાજી જ્ઞાન અને ભક્તિની ફોરમ વિશ્વમાં ફેલાવી હતી. અક્ષર મંદિર અને અક્ષરદેરીનો મહિમા જગપ્રસિધ્ધ કર્યો, એવા સદા બ્રહ્મના આનંદમાં અલમસ્ત ગોંડળવાળા યોગીજી મહારાજના ૧૩૦મા પ્રાગટયોત્સવ નિમિત્તે તેઓનાં પ્રેરક અને દિવ્ય જીવનને માણવા, યોગી જયંતિના પાવન પર્વે આયોજીત સત્સંગ સભામાં બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વક્તા સંત પૂ. નારાયણમુનિ સ્વામીની વિદ્વતાસભર શૈલીમાં યોગી ચરિતમ્ વિષયક એક દિવસીય સત્સંગ પારાયણનું આયોજન કરેલ છે. આ અવસરે સર્વેને સહપરિવાર મિત્ર-મંડળ સહિત પધારવા જણાવાયું છે તારીખ ૨૭-૦૫-૨૦૨૨ શુક્રવાર યોગી સભામંડપમ્, અક્ષર મંદિર, સમય સાંજે ૬-૦૦ થી ૮-૦૦ મહાપ્રસાદ સાંજે ૮ કલાકે રાખવામાં આવ્યો છે તેમ સાધુ દિવ્યપુરુષદાસ કોઠારીશ્રી તથા સર્વે સંત મંડળ શ્રી અક્ષર મંદિર ની યાદીમાં જણાવાયું છે.