ભાવનગરમાં કુંજ પક્ષીનો શિકારઃ બે ઝડપાયા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા): ભાવનગર તા.૨૫: વન વિભાગ અને બોટાદ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સંદીપકુમારના માર્ગદર્શન હેઠળ તથા વન વિભાગના મદદનીશ વન સંરક્ષક વી.એ.રાઠોડની સૂચના હેઠળ વન વિભાગ સ્ટાફના ફેરણા દરમિયાન તાલુકાના જૂના રતનપર ગામની સીમમાં કુંજપક્ષીનો શિકાર કરતા બે ઈસમોને રંગે હાથે ઝડપી પાડેલા જેમાં ૧) કરણ ભાઈ ભોળાભાઈ જશમુરિયા ઉ.વ ૨૦, દેવીપૂજક, ૨)મુનાભાઈ મુળજીભાઈ જશમુરીયા ઉ.વ ૩૦, દેવીપૂજક, રહેઃ જૂના રતનપરને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ અંતર્ગત કલમ ૨(૧૬), ૯, ૫૨,૩૯. હેઠળ ગુન્હો દાખલ કરેલ. આ કામગીરી માં સામાજિક વનીકરણ રેન્જ ઘોઘાના આર. એફ.ઓ દિવ્યરાજસિંહ સરવૈયા અને વિક્રમભાઈ રાઠોડ તથા ભાવનગર નોર્મલ રેન્જના ઇન્દ્રજિતસિંહ ગોહિલ અને સંજયભાઈ દેસાઈ જોડાયા હતા.