News of Wednesday, 24th November 2021
કચ્છમાં ફરજ બજાવતાં બીએસએફના જવાને જાતે ગોળી મારી જીવ દીધો : માનસિક તણાવમાં એક મહિનામાં બીજા જવાનનો આપઘાત
(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: કચ્છમાં ભુજ મધ્યે બીએસએફ કેમ્પસમાં ફરજ બજાવતાં જવાને કરેલ આપઘાતના બનાવે ચકચાર સાથે સવાલો સર્જ્યા છે. ગત ૨૫ ઓક્ટોબરે એરફોર્સ ના જવાને જાતે ગોળી મારી આપઘાત કરી લેવાનો બનાવ હજી તાજો જ છે ત્યાં બીએસએફના જવાને પણ એ જ રીતે જાતે ગોળી મારી લઈ આપઘાત કરી લીધો હતો. ભુજ મુન્દ્રા રોડ ઉપર બીએસએફની બટાલિયન ૧૮ માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૪૬ વર્ષીય અરુણકુમાર સખારામ કવને હથિયાર રાખવાના કોત રૂમમાં જાતે જ રાયફ્લમાંથી ગળાના ભાગે બે ગોળી છોડી પોતાનો જીવ દઈ દીધો હતો. સુસાઇડ નોટમાં પોતે જાતે જ આપઘાત કર્યો હોવાનું લખીને આ જવાને જીવન ટુંકાવ્યું હતું. પોલીસે અગમ્ય કારણોસર આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(9:25 am IST)