સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th November 2021

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો :નજીવી બાબતે કરાઈ હતી યુવાનની હત્યા.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રવિવારે રાત્રીના સુમારે એક ઇસમેં ખિસ્સા ખર્ચના રૂપિયાની માંગણી કરતા યુવાને ઇનકાર કર્યો હતો જેથી છરીના ઘા ઝીંકી દઈને ગંભીર ઈજા પહોંચાડી હોય જે યુવાનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીને ઝડપી લીધો છે

 
મોરબીની સો ઓરડી પાસે રામદેવનગરમાં રહેતા સંદીપ વિનોદભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે રવિવારે રાત્રીના સુમારે તેનો ભાઈ પ્રદીપ ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો કેવલદાસ નટવરદાસ રાબડીયા ત્રણ-ચાર દિવસથી ખિસ્સા ખર્ચ માટે પૈસા માંગીને હેરાન કરે છે અને પ્રદીપ કાઈ કમાતો ના હોય જેથી પૈસા ક્યાંથી આપે તેવું ભાઈને કહ્યું હતું અને બાદમાં ફરિયાદી સંદીપભાઈ મકવાણા પોતાના ઘરેથી નીકળીને વાળ કટિંગ માટે જતા હોય ત્યારે ભાઈ પ્રદીપના મિત્ર મહેશ બારોટનો ફોન આવ્યો હતો કે પ્રદીપ અને કેવળને ઝઘડો થયો છે અને છરી મારી લીધી છે જેથી તેને બાઈકમાં હોસ્પિટલ લઇ જાઉં છું જેથી ફરિયાદી હોસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રદીપ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે કેવલે તેના ઘરે બોલાવી ખિસ્સા ખર્ચના પૈસા માંગતા પૈસા ના હોવાનું જણાવ્યું હતું જેથી ઉશ્કેરાઈ જઈને આરોપીએ છરી કાઢી એક ઘા મારી દીધો હોય જેથી ઈજાગ્રસ્ત યુવાન પ્રદીપનું મોત થયું હતું
જે બનાવને પગલે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપી કેવલદાસ નટવરદાસ રાબડીયા રહે રામાપીર મંદિર પાસે માળિયા વનાળીયા સોસાયટી મોરબી ૨ વાળાને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(9:42 pm IST)