નિષ્ઠુર જનેતા પર ફિટકાર : મેઘપર ગામે નવજાત બાળકીને ત્યજી દેવાઈ.
બાળકીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ
મોરબી : માળિયા તાલુકાના મેઘપર ગામ નજીક ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હોય જે બનાવની જાણ થતા પોલીસ ટીમો દોડી ગઈ હતી અને નવજાત બાળકીને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાઈ છે
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળિયાના મેઘપર ગામ નજીક બાવળની કાંટમાં એક નવજાત બાળકી પડી હોવાનું સરપંચને જાણવા મળ્યું હતું જેથી સરપંચ સ્થળ પર દોડી ગયા હતા અને તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવી હોય જેથી તુરંત માળિયા પોલીસને જાણ કરી હતી અને માળિયા પોલીસ ટીમ સ્થળ પર પહોંચીને નવજાત બાળકીને માળિયા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે
તો માળિયા પંથકમાં નવજાત ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા સભ્ય સમાજ સામે આંગળી ચિંધાઈ રહી છે અને નવજાત બાળકીને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ લોકોનો રોષ ભભૂક્યો છે.