સાવરકુંડલામાં નરાધમ શખ્સનું અધમ કૃત્યઃ ગાયને કુહાડી ઝીંકી
(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૪: શુક્રવારે સાંજનાં ચારેક વાગ્યાનાં અરસામાં શહેરથી મહુવા રોડ ઉપર ચાર કી.મી. દુર રેલ્વે ફાટક પાસે એક નધીયાતી ગાય પાછળનાં ભાગે ખૂપેલી કુહાડી સાથે સખત પીડાતી આમ તેમ ઘૂમરી ખાઇ રહી હતી ત્યારે ત્યાંથી બારૂડા ગામનાં ડોકટર કાનાણી પસાર થતા તેણે ઇજાગ્રસ્ત ગાયની સાવરકુંડલાનાં સેવાભાવી યુવાન મેહુલભાઇ વ્યાસને જાણ કરતાં મેહુલભાઇએ આલુભાઇ મોરી, ભાભલુભાઇ દરબાર વગેરેનો સાથેઢ મળી સ્થળ પર જતા ગાય રોડ સાઇડમાં આવેલ ડુંગરાળ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેમણે તુરત સાવરકુંડલા ગૌશાળાનાં રાજુભાઇ બોરીસાગર, કેતનભાઇ બગડાને જાણ કરતા ગૌશાળાની પીકઅપ વાનમાં ઇજાગ્રસ્ત ગાયને ગૌશાળા ખાતે લાવી સારવાર ચાલુ કરાવી છે. સેવાભાવી યુવાનોને ડુંગરાળ વિસ્તારમાંથી ગાયની પૂંઠમાંથી ખૂંપીને બહાર નીકળી ગયેલી કૂહાડી પણ મળી આવતા કુહાડી કબ્જે લઇ સીટી પોલીસમાં સોંપી આપેલ છે. અને આ ધ્રુણાસ્પદ બનાવમાં સંડોવાયેલ નરાધમ શખ્સને પકડી નસીયત પહોંચાડવા ગૌસેવકોએ રજુઆત કરી છે.