પોરબંદર માણેક ચોક વીજ સબ સ્ટેશન ર૪ કલાક ખૂલ્લુ રાખવા માગણી
ચોમાસામાં વીજ ફોલ્ટ વધતા ફરીયાદો નોંધાવવા થતાં ધકકા
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. માણેક ચોક વીજ સબ સ્ટેશન ફોલ્ટ સેન્ટર ચોમાસામાં ર૪ કલાક ખૂલ્લૂ રાખવા માગણી ઉઠી છે.
માણેક ચોકનું વીજ સબ સ્ટેશન સૌરાષ્ટ્ર રાજય વખતથી કાર્યરત છે. હાલ આ સબ સ્ટેશનમાં વીજ ફોલ્ટની ફરીયાદો નોંધવામાં આવે છે. આ સબ સ્ટેશન ફોલ્ટ સેન્ટર દરરોજ બપોરે ર થી ૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. પરંતુ લોક ફરીયાદો મુજબ આ ફોલ્ટ સેન્ટરનો દરવાજો મોટેભાગે બંધ જોવા મળે છે વીજ ગ્રાહક ફરીયાદ નોંધાવવા જાય તો ઇન્ચાર્જ મળી શકતા નથી.
આ વીજ સબ સ્ટેશન મુખ્ય બજાર અને લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલું હોય મહત્વનું ગણાય છે. વીજ ફોલ્ટની ફરીયાદ નોંધાવવા ફોલ્ટ સેન્ટરે ફોન કરીએ તો મોટેભાગે ફોન ઉપડતા નથી અને કયારેક ફોન ઉપડે ત્યારે સંતોષકારક જવાબ નહીં મળતાની ફરીયાદો ઉઠી છે.