સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th May 2022

ગોંડલ માર્કેટિંગ યાર્ડની 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવામાં આવ્યું : યાર્ડના ચેરમેન "વિઝન મેન "બન્યા

1000 જેટલા ગુડ્સ વ્હિકલ સમાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ :ડ્રાઇવરો માટે અધ્યતન ઓફિસ બનાવી

ગોંડલ :સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં  સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ ભરમાંથી ખેડૂતો વેપારીઓ રોજીંદા માલ લેવા વેચવા માટે આવી રહ્યા છે ત્યારે ટ્રાફિક સમસ્યા વધી રહી હોય માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા તાકીદે 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટનગર વિકસાવીને એક દીર્ઘદ્રષ્ટિ સમાન ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

 ટ્રાન્સપોટઁનગરના પ્રણેતામાર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સૂચના હતી કે માત્રને માત્ર ચેરમેન બનીને યાર્ડ નો વહીવટ કરવાનો નથી ચેરમેનની સાથોસાથ વિઝનમેન એટલે કે દીર્ઘદ્રષ્ટા બનવું પણ જરૂરી છે તેઓના માર્ગદર્શન ને ધ્યાને લઇ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવામાં આવ્યું છે જેમાં 800 થી હજાર માલવાહક વાહનો સમાવેશ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત ડ્રાઇવરો માટે ઓફિસ બનાવવામાં આવી છે જ્યાં લાઈટ, પાણી, બાથરૂમ, મિનરલ વોટર, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાઓને પરિણામે ડ્રાઈવરોને ખાસ્સી રાહત મળી રહી છે .બીજી બાજુ ટ્રાન્સપોર્ટ  પણ જણાવી રહ્યા છે કે આવી સુવિધાઓ તો અમે સ્વપ્ને પણ વિચારી ન હતી. 

માર્કેટિંગ યાર્ડ માં ટ્રાન્સપોર્ટ નગર બનવાથી માત્ર ને માત્ર ટ્રાન્સપોર્ટરો કે  ડ્રાઇવરોને જ ફાયદો થઈ રહ્યો નથી ખેડૂતો અને વેપારીઓને પણ મબલખ ફાયદો થઇ રહ્યો છે સરેરાશ માર્કેટિંગ યાર્ડમાં 500 જેટલા ટ્રક મગફળી સહિતની જણસીઓ ભરીને આવે તો આશરે 50000 ગુણી જેવી જણસીઓની આવક ગણવામાં આવે છે જો એક ગુણી ચડાવ ઉતારની મજુરી પંદર રૂપિયા ગણવામાં આવે તો રોજિંદા સાડા સાત લાખ રૂપિયા જેટલો ખેડૂતોને ખર્ચ વેઠવો પડતો હતો તે બંધ થતાં તેનો સીધો જ  ફાયદો ખેડૂતો વેપારીનો થઈ રહ્યો છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે યાર્ડની અંદર આવતા વાહનો માટે પણ નીતિ નિયમો કડક બનાવવામાં આવ્યા છે જો કોઈપણ મેટાડોર કે ટ્રક ચાલક બિનઅધિકૃત રીતે માર્કેટિંગ યાર્ડમાં પોતાનું વાહન પાર્ક કરીને જતા રહે તો તેઓની પાસેથી રૂપિયા 200 દંડ મુજબ વસુલ કરવામાં આવશે, આ નિયમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન, ડિરેક્ટરો કર્મચારીઓ સર્વે ને લાગુ પડશે તેવું બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ નક્કી કરવામાં આવ્યું છે.

(11:42 pm IST)