સોરઠીયા શ્રીગોૈડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજનુંજૂનાગઢ ખાતે જનરલ બોર્ડ અને ચૂંટણી યોજાશે
જુનાગઢ તા.૨૪: સોરઠીયા શ્રીગોૈડ માળવીય બ્રાહ્મણ જ્ઞાતિ સમાજનું જનરલ બોર્ડ તેમજ ચૂંટણી પ્રક્રિયા યોજાઇ રહી છે. જે અંગે ચૂંટણી અધિકારી એડવોકેટ હિતેષભાઇ દવેની યાદીમાં જણાવાયું છે કે તા.૩૧-૫-૨૦૨૨ સુધીમાં આજીવન સભ્ય થયા હશે અને ફી ભરી હશે તેઓને જ મતાધિકાર મળશે અને ચૂંટણીમાં ભાગ લઇ શકશે. તા.૩ જુનના રોજ મતદાર યાદી પ્રસિધ્ધ કરાશે. ત્યારબાદ તા.૪ થી પ જુન દરમિયાન બપોરે ૪ થી ૬ કલાક સુધીમાં આજીવન સભ્યો દ્વારા ફોર્મ ભરી શકાશે. ફોર્મ ચકાસવાની પ્રક્રિયા તા.૬ જુન, બપોરે ૪ થી ૬ કલાકે તેમજ ફોર્મ પરત ખેંચવાનો સમય તા.૮ જુન, બપોરે ૪ થી ૬ નો રહેશે. ફોર્મ સાથે રૂા.૫૦૦/- નોન રીફન્ડેબલ ભરવાના રહેશે. ચૂંટણી તા.૧૧ જુનના રોજ યોજાશે. જેનો મતદાન સમય એજ દિવસે બપોરે ૧ર થી ર કલાક તથા મત ગણતરી રઃ૩૦ કલાકે યોજાશે. આ અંગે વિસ્તૃત માહિતી સોરઠીયા શ્રીગોૈડ માળવીય જ્ઞાતિની વાડી, વાંઝાવાડ, જુનાગઢ ખાતેથી મળી શકશે.