News of Monday, 23rd May 2022
ધોરાજીમાં રામદેવ ભકિત માનસ કથા પાટોત્સવમાં ભાવીકોએ કથા રસપાન કર્યુ
ધોરાજી : વડલી ચોક ખાતે કથા યોજાઇ હતી. જેના વકતા રાધેકૃષ્ણ શાષાીજી (દાદાબાપુ) અને કથાનું રસપાન કરાવ્યુ હતુ. રમેશભાઇ ધડુક, લલિતભાઇ વસોયા, હરસુખભાઇ ટોપીયા, વિનુભાઇ માથુકીયાએ હાજર રહી કથાનું રસપાન કર્યુ હતું. તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ અને તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા શાષાીજી રાધેકૃષ્ણનું સન્માન કર્યુ હતું. રાત્રે રામદેવપીર વિવાહ તથા કથામાં બીજનો મહીમાં અને સમાધિ અંગે સમજાવવામાં આવ્યું હતું. સપ્તાહમાં આવેલા અધિકારી, આગેવાનોનું સન્માન કરાયુ હતું.(તસ્વીર-અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)
(10:56 am IST)