News of Friday, 23rd April 2021
જસદણ વિંછીયા વિસ્તારમાં દાતાના સહકારથી બે એમ્બ્યુલન્સનું મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતીમાં લોકાર્પણ
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૩: કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા વિવિધ સંસ્થાઓનો પણ આ મહામારી સામેની લડતમાં સહયોગ મળી રહ્યો છે. કોરોનાની મહામારીમાં દર્દીઓની મદદ માટે તેમજ તાત્કાલિક રાહત મળે તે માટે સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાઓ પણ આગળ આવી રહ્યા છે. વિછીયા અને જસદણ તાલુકા વિસ્તારમાં કોરોનાના દર્દીઓને ઇમરજન્સીમાં અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં મદદરૂપ થાય તે માટે મિલેનિયમ ફાઉન્ડેશન દ્વારા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં બે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ દાતાઓશ્રી મનસુખભાઇ કોરડિયા તથા અન્યોનો આ તકે આભાર માન્યો હતો. આ પ્રસંગે દાતા તેમજ જસદણ ડેપ્યુટી કલેકટર પી. જે. ગલચર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(10:08 am IST)