News of Thursday, 23rd March 2023
જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઈન્ડિયન ફોરેસ્ટ ટીમ રાજકોટ દ્વારા ચકલીના માળાનું વિતરણ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૩ : વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા ઈન્ડિયન ફોરેસ્ટ ટીમ રાજકોટ સંસ્થા દ્વારા ચકલી ના માળા,પાણી ના કુંડા નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ જેમા શહેરજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ આપી ચકલી ના માળા તથા કુંડા હોશભેર લઈ ચકલી દિવસે અબોલ જીવ નુ જતન કરવા સંકલ્પ કર્યો હતો. આ સેવાકાર્ય કરવામાં ગોંડલ તથા રાજકોટ ના બંટી ભુવા ,જતીનભાઈ ટીલાળા મહેશભાઈ વાડોદરીયા, વિનેશભાઈ જોષી, અતુલભાઈ ઠુંમર, વિપુલભાઈ પલ્લવીબેન ગોહિલ , હર્ષદભાઈ, સાવનભાઈ દિવ્યેશભાઈ, જ્યોત્સનાબેન રૈયાણી, રશ્મિબેન આંબલીયા અશોકભાઈ પીપળીયા, અશોકભાઈ શેખડા, બાબાલાલ , વગેરે જહેમત ઉઠાવી હતી.
(11:01 am IST)