સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 22nd March 2023

લાઠીના લુવારીયામાં મોગલધામ ખાતે કાલે પંચકુંડી યજ્ઞ - ધર્મોત્‍સવ

રાજકોટ તા. ૨૨ : લાઠી તાલુકાના લુવારીયા ગામે માં મોગલધામ ખાતે કાલે તા. ૨૩ ના ગુરૂવારે પંચકુંડી યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરાયુ છે. પ્રમુખ મુનાભાઇ ખુમાણની આગેવાની હેઠળ યોજાયેલ આ કાર્યક્રમોમાં સાંજે ૪.૩૦ વાગ્‍યે રાજકોટથી ઇશ્વરભાઇ પટેલ, આચાર્યશ્રી મનસુખભાઇ અજારા ઢોલ શરણાઇના સુર સાથે સામૈયા કરી કાર્યક્રમ દીપાવશે.

મહંતશ્રી રામબાપુ સંતશ્રી નગા લાખાના ઠાકરની જગ્‍યા બાવળીયાળી ધામથી તેમજ નિલવડાથી શ્રી રૂદ્રભારથી બાપુ પધારશે. મુખ્‍ય મહેમાન તરીકે ભુપતભાઇ વાળા (દડવા), જયરાજભાઇ ધાધલ (પીપલીયા), કાનાભાઇ વડાળ ખુમાણ, કાનભાઇ ધાધલ (અમરેલી), દિપકભાઇ કાઠી (અમદાવાદ) વગેરે ઉપસ્‍થિત રહેશે.

(3:28 pm IST)