સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st December 2017

સરધારમાં પંચશીલ સેવા સમાજનું સ્નેહમિલન

બામટાઃ રાજકોટ તાલુકાના સરધાર ગામે બ્રહ્મસમાજ, સાધુ સમાજ તરફથી સેવાના ભાવે શરૂ કરેલ પંચશીલ સેવા સમાજનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું હતું. નવી સમાજ વાડી બનાવી તેમજ શિવ રથયાત્રા શિવરાત્રીના દિવસે તેમજ રામનવમીના દિવસે રથયાત્રા વગેરે ઠરાવ પસાર કરાયા હતા. આ તકે પંચશીલ સેવા સમાજના પ્રમુખ અનિલભાઇ રાજ્યગુરૂ, ઉપપ્રમુખ પરશુરામબાપુ સહિત સમાજના લોકો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તે તસ્વીરમાં દર્શાય છે.

(11:42 am IST)