મોરબી ઓરપેટ ગ્રુપ દ્વારા પરસોતમ રૂપાલાનું સન્માન
મોરબીઃ ભાજપ દ્વારા આયોજિત જન આશિર્વાદ યાત્રા સાથે કેન્દ્રિય મંત્રી પરસોતમ રૂપાલા મોરબી આવી પહોંચ્યા હતા. જયાં રેલી, સભા સહિતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ તેઓ મહર્ષિ દયાનંદની ભૂમિ ટંકારા જવા નીકળ્યા હતા. ત્યારે મોરબી અને ટંકારા વચ્ચે આવેલ વિશ્વ પ્રસિદ્ઘ 'ઓરપેટ' કંપની ખાતે ઓરપેટના યુવા ડિરેકટર નેવિલભાઈ પટેલ તેમજ કંપનીમાં કામ કરતી દીકરીઓ દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત, સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે ઓરપેટના યુવા ડાયરેકટર નેવિલભાઇ સાથે મંત્રીશ્રી એ તેમના દાદા સ્વ. ઓ. આર.પટેલ તેમજ તેમના પિતાજી પ્રવિણભાઇ પટેલ સાથેના વરસો જૂના સંબંધોનો ઉલ્લેખ કરવા સાથે ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યાં હતા અને વિશ્વ કક્ષાએ દેશનું નામ રોશન કરવા સાથે દાખલા રૂપી હજારો દીકરીઓને પગભર કરી આપવાની ઉમદા ભાવનાની પ્રશંસા કરી હતી.