જન આશીર્વાદ યાત્રાને ધારી, ચલાલા, કુંડલા અને ક્રાંકચમાં આવકાર
અમરેલી : જિલ્લાના ધારી, ચલાલા, કુંડલા અને ક્રાંકચ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ખેડુતો, વેપારી, દુકાનદારોથી લઇને વિવિધ સમાજના આગેવાનો સહિત સાધુ સંતોએ હેતથી આવકાર્યા હતા. આ તકે રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, મહેન્દ્રભાઇ સરવૈયા, પ્રદેશ ભાજપ મંત્રીશ્રીઓ, રઘુભાઇ હુંબલ, મહેશભાઇ કસવાલા, ઝવેરીભાઇ ઠકરાલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ, ઉદયભાઇ કાનગડ, પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ, પ્રશાંતભાઇ કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ, કૌશિકભાઇ વેકરીયા સહકારી અગ્રણી, દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન જલ્પેશભાઇ મોવલીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ રાજેશભાઇ કાબરીયા, પીઠાભાઇ નકુમ સહિતના આગેવાનો હાજર રહયા હતા.