સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st August 2021

માખીયાળા નવદુર્ગા આશ્રમ ખાતે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજે કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયાને આશીર્વાદ પાઠવ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી જૂનાગઢ રોડ ખાતે આવેલ માખીયાળા નવદુર્ગા આશ્રમ ખાતે જન આશીર્વાદ યાત્રા લઈને નીકળેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આશ્રમ ખાતે  યાત્રારોકી  અને પૂજ્ય શ્રી દિગંબર શ્રી લાલુગીરીજી મહારાજના આશીર્વાદ માટે આશ્રમેં જતા અને નવદુર્ગા માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા તેમજ નવદુર્ગા આશ્રમ માખીયાળા ના શ્રી મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને આશીર્વાદ પાઠવ્યા હતા અને ભગવાનની પ્રસાદીનો હાર પહેરાવી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા નું સ્વાગત કર્યું હતું

આ પ્રસંગે શ્રી દિગંબર લાલુગિરિજી મહારાજ એ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે આજે માખીયાળા નવદુર્ગા આશ્રમ ખાતે જન આશીર્વાદ યાત્રા ના માધ્યમ દ્વારા આશ્રમે મા નવદુર્ગાના દર્શન કરી અને સંતોના આશીર્વાદ લેતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને આશીર્વાદ આપતા જણાવેલ કે ભારત સરકાર ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એટલે સંતોના આશીર્વાદથી દેશનું સુકાન સંભાળી રહ્યા છે અને તેમના મંત્રીમંડળમાં સ્થાન પામેલા મનસુખભાઈ માંડવીયા પણ એક દેશ પ્રેમી છે અને હાલમાં કોરોના મહામારી ના સમયમાં તેમના પર મહત્વની જવાબદારી કેન્દ્ર સરકારે સોંપી છે ત્યારે આ દેશની તમામ જનતા સ્વાસ્થ્ય માટે સુખાકારી મળે દેશમાં કોરોના નો વ્યાપ વધે નહીં અને સ્વાસ્થ્ય મંત્રાલયના મંત્રીમંડળમાં મનસુખભાઈ માંડવીયા ખૂબ જ લોકોની અને દેશની સેવા કરે તે પ્રકારે આશીર્વાદ પાઠવ્યા હતા
આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જીલ્લા મહામંત્રી(obc) અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા જિલ્લા ભાજપ કારોબારી સદસ્ય દિલીપભાઈ હોતવાણી પરેશભાઈ સુખવાણી મીડિયા સેલના પ્રમુખ હિતેશભાઈ રાઠોડ ડો.હેમાંગ રાઠોડ જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા જીગ્નેશભાઈ ગજેરા વત્સલ રાઠોડ પ્રિન્સ ગજેરા તેમજ માખીયાળા ગામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
તસવીર કિશોરભાઈ રાઠોડ

(7:49 pm IST)