News of Tuesday, 21st June 2022
માળીયા હાટીનામાં રાજપૂત કરણી સેના દ્વારા રેલી અને સભા
માળીયા હાટીનાઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત, કુમાર સમીરવાળા સાર્દુલવાળા જેતપુર સ્ટેટ તથા હિરેન્દ્રસિંહ વાળા, ગજેન્દ્રસિંહ શેખવા વગેરે માળીયા હાટીનાની મુલાકાતે આવ્યા હતા ત્યારે માળીયા હાટીનામાં રામેશ્વર મંદિરથી રેલી યોજાઇ હતી તથા મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાના હારતોરા બાદ વડીયા માનસિંહભાઈ સિસોદીયાની વાડીએ સભા યોજાઈ હતી. જેમાં સંગઠન મજબૂત બનાવવાની ચર્ચા કરાઇ હતી. (તસ્વીર - અહેવાલ : મહેશ કાનાબાર માળીયા હાટીના)
(1:29 pm IST)