સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st May 2022

ખંભાળીયાના રઘુવંશી પરિવારમાં ઘેરો શોકઃ પત્‍નિનાં મૃત્‍યુના ૨ દિવસે પતિની વિદાય

બે દિવસમાં માતા-પિતાના અવસાનથી બથીયા પરિવારમાં અરેરાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. સાથ જીયેંગે સાથે મરેંગે જેવી ઉકિત ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં રહેતા રઘુવંશી બથીયા પરિવારમાં બે વ્‍યકિતઓમાં કરૂણ ઘટના ઘટી હતી.

ખંભાળિયામાં શિવમ કાપડવાળા અગ્રણિ રઘુવંશી વેપારી મોહનલાલ રાઘવજીભાઇ બથીયાના ધર્મપત્‍ની ઇન્‍દુબેન (ઉવ.૭૫)નું તા. ૧૮/૫/૨૨ના રોજ અવસાન થયું હતું. ત્‍યારે ૨૦/૫/૨૨ના પત્‍નીના મૃત્‍યુના બે દિવસ પછી ઇન્‍દુબેનના પતિ મોહનભાઇ રાઘવજીભાઇ બથીયા (ઉવ.૮૩)નું પણ અવસાન થતાં રઘુવંશી સમાજ બથીયાર પરિવાર તથા રામનાથ સોસાયટીમાં શોકની લાગણી છવાઇ હતી. બે દિવસમાં માતા-પિતાના મોતથી બથીયા પરિવાર પર શોકના વાદળો છવાઇ ગયા છે.

(1:22 pm IST)