ભાવનગરના તળાજામાં પિતરાઇ ભાઇઓએ ખેલ્યો ખૂની ખેલ : યુવાનની હત્યા : ચાર ઘાયલ
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૧: ભાવનગર જિલ્લાના તળાજા શહેરની પંચશીલ સોસાયટી ખાતે સાંજ ઢળ્યા પહેલા ખૂની ખેલ ખેલાયો. ખૂની ખેલ પિતરાઈ પરિવાર જનો દ્વારાજ ખેલવામાં આવ્યો હતો.કપચી નડતી હોવાની સામાન્ય બાબતે ખેલાયેલા ખૂની ખેલમાં એક પરિવાર ના સભ્યો પિતરાઈ ભાઈઓ ના પરિવાર પર તીક્ષ્ણ હથિયાર ધારણ કરી તૂટી પડતા એક યુવાનની હત્યા થવા પામેલ.ચાર યુવાનો ને લોહિયાળ ઇજાઓ થતા તમામ ને સારવાર અર્થે નજીક ની ટ્રસ્ટ ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં લોકોના ટોળા ઉમટ્યા હતા.
તળાજા સહિત જિલ્લાના લઘુમતી સમાજમા સનસનાટી મચાવતી ઘટના ની મળતી વિગતો મુજન અહીંની પંચશીલ સોસાયટી મા રહેતા કુરેશી અટક ના પરિવાર વચ્ચે કપચી નડવા જેવી સામાન્ય બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.તીક્ષ્ણ હથિયાર ધારણ કરી કરવામાં આવેલ હુમલા મા કુલ પાંચ યુવાનો ને નાની મોટી ઇજાઓ થવાપામી હતી. ઇજા ગ્રસ્તો રૂસ્તમભાઈ નૂરભાઈ કુરેશી ઉ.વ.આ ૩૨,ફિરોજભાઈ હબીબભાઈ કુરેશી, આસીફભાઈ હબીબભાઈ કુરેશી,અયૂબભાઈ હબીબભાઈ કુરેશી,અબ્રાર આસીફભાઈ કુરેશી ને નજીક ની નીલકંઠ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જયાં ફરજ પરના તબીબે રૂસ્તમ નૂરભાઈ કુરેશી ને મરણ ગયેલ જાહેર કરેલ હતા.બાકીના ચારેય ની સારવાર કરવામાં આવી હતી.
ઇજા ગ્રસ્ત ફિરોજભાઈ કુરેશી એ જણાવ્યું હતુંકે અમો ઘરે હતા તે સમયે કપચી લેવા બાબતે ઘર બહાર બોલાવવામાં આવ્યા હતા.બાદ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો.
ઇજાગ્રસ્ત ફિરોજભાઈ કુરેશી એ ખૂની હુમલો મહેબૂબભાઈ બાપલભાઈ અને તેના ભાઈઓ રજાકભાઈ, અયૂબભાઈ, ઇમરાનભાઈ તથા બહાર ગામ થી આવેલ એક યુવક સહિતના પરિવાર જનો પર આરોપ લગાવ્યો હતો.બનાવ ને લઈ જિલ્લા પોલીસ વડા એ સ્થળ પર ની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત પરિવાર ના મહિલાઓ સહિત આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.જેને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.હત્યારાઓ હાથવેંતમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.